પપૈયાના આશ્ચર્યજનક 15 ફાયદા તો તમે નહીં જ જાણતાં હોવ.....

પપૈયામાં ભરપુર માત્રામાં વિટામિન એ, બી અને સીની સાથે તેમાંથી થોડી માત્રામાં વિટામિન ડી પણ મળે છે. પપૈયું પેપ્સિન નામના પાચકતત્વનો એક પ્રાકૃતિક સ્રોત છે. તેમાં કેલ્શિય અને કેરોટીનની પણ સારી માત્રા રહેલી હોય છે. આ સિવાય ફોસ્ફરસ, પોટેશિયમ, આયર્ન, એન્ટીઓક્સિડેન્ટ્સ, કાર્બોહાઇડ્રેટ અને પ્રોટીન પણ તેમાં હોય છે. પપૈયું આખા વર્ષ દરમિયાન બજારમાં ઉપલબ્ધ હોય છે.

પૌષ્ટિક અને સ્વાદિષ્ટ પપૈયામાંથી અનેક વિટામિન મળે છે. તેને નિયમિતરૂપે ખાવાથી શરીરમાં અનેક વિટામિન્સની ઉણપ પુરી કરી શકાય છે. સરળતાથી એકરસ થઇ જવાના તેના ગુણને કારણે તે શરીરને બહુ જલ્દી ફાયદો પહોંચાડે છે. પપૈયું એક એવું ફળ છે જે કાચું અને પાકું એમ બંને રીતે ખાઇ શકાય છે.

1.પપૈયું પેટ માટે બહુ ફાયદાકારક હોય છે. તેનાથી પાચન તંત્ર સારું રહે છે અને પેટના રોગો પણ દૂર થાય છે. પપૈયું પેટના ત્રણ મુખ્ય રોગો વાયુ, પિત અને અપચોમાં રાહત 2.પહોંચાડે છે. તે આંતરડા માટે ઉત્તમ હોય છે.
3.પપૈયામાં મોટી માત્રામાં વિટામિન એ હોય છે. માટે તે આંખો અને ત્વચા માટે બહુ સારું ગણાય છે. તેનાથી આંખોની રોશની તો સારી થાય છે સાથે ત્વચા પણ સ્વસ્થ, સ્વચ્છ અને ચમકદાર બને છે.
4.પપૈયામાં કેલ્શિય પણ ઘણું હોય છે. માટે તે હાડકાંને મજબૂત બનાવે છે.
5.તે પ્રોટીનને પચાવવામાં મદદરૂપ બને છે.
6.પપૈયું ફાઇબરનો એક સારો સ્રોત છે.
7તેમાં એન્ટિઇન્ફ્લેમેટરી, કેન્સર વિરોધી અને હીલિંગ પ્રોપર્ટી હોય છે.
8.પપૈયાનુ નિયમિત સેવન કરે છે તેને કેન્સરનુ જોખમ ઓછુ રહે છે
9.પપૈયામાં કેરોટીન આંખો માટે ખુબ ફાયદાકારક છે. આંખોની રોશનીને તેજ રાખવા માટે નિયમિત રીતે પપૈયાનુ સેવન કરવુ જોઈએ.
10.પપૈયાના સેવનથી ઘા ભરાઇ જાય છે અને ઝાડા અને પેશાબમાં થતી તકલીફો દૂર થાય છે.
11.કાચા પપૈયાનું દૂધ ત્વચાના રોગ માટે બહુ લાભદાયી રહે છે જ્યારે પાકું પપૈયુ પાચન શક્તિ, ભુખને વધારી, મુત્રાશયના રોગોને નષ્ટ કરે છે.
12.પથરીના રોગ માટે પપૈયુ અતિ ગુણકારી છે જે જાડાપણાંને દૂર કરે છે.
પપૈયુ કફની સાથે આવતા લોહીને રોકે છે અને લોહીવાળા હરસ- મસાને રોકે છે.
13.પપૈયાનો પ્રયોગ લોકો ફેસપેક તરીકે પણ કરે છે. જે આંખોના કાળા કુંડાળાને પણ દૂર કરે છે. કાચા પપૈયાના પલ્પને મધમાં ભેળવીને ચહેરા પર લગાડવાથી ખી-લ- ફોડલીઓનો અંત થાય છે.
14.જે લોકોને વારંવાર શરદી-ખાંસી થાય છે તેમના માટે પપૈયાનું નિયમિત સેવ ઘણું લાભદાયક હોય છે. તેનાથી ઇમ્યૂન સિસ્ટમ મજબૂત બને છે.
15.તેમાં વધતા બાળકોના યોગ્ય વિકાસ માટે જરૂરી પોષક તત્વો હોય છે. શરીરને પોષણ આપવાની સાથે તે રોગોને દૂર પણ ભગાડે છે.

Comments