દાદરી કાંડ ઉપર બીજેપીએ લગાવી નેતાઓની જબાન ઉપર લગામ

દાદરી હત્યાકાંડને લઇને સમગ્ર દેશમાં રાજકીય દુનિયામાં ગરમાવો પકડાયો છે. રાજકીય પક્ષો એકબીજાની સામે આવી ગયા છે અને એકબીજા ઉપર આક્ષેપબાજી કરવા લાગ્યા છે. જેના કારણે ભાજપના આલાકમાન નારાજ થયા છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે બીજેપી નેતૃત્વએ પોતાના નેતાઓને કડક આદેશ આપ્યો છે કે, કોઈપણ નેતા દાદરી હત્યાકાંડ ઉપર એવા ભડકાઉ નિવેદન ન આપે જેનાથી હાલત વધારે ખરાબ થાય.

બીજેપની સુત્રોના જણાવ્યા પ્રમાણે પાર્ટીના સ્થાનિક ધારાસભ્ય અને સાંસદને છોડીને કોઈપણ નેતા બિસાડા ગામ નહીં જાય તેવી ચેતવણી આપી છે. બીજેપીના માનવું છે કે, ઉત્તર પ્રદેશની સમાજવાદી પાર્ટી સરકાર પોતાની નિષ્ફળતાને સંતાડવા માટે દાદરી હત્યાકાંડનો વધારે ઉગ્ર બનાવાનો પ્રયત્ન કરી રહી છે. એટલા માટે કોઈપણ બીજેપી નેતા એવું કંઇ જ ન કરે જેનાથી અખિલેશ સરકારને રાજનીતિક ફાયદો થાય. 

અત્રે ઉલ્લેખનીય છે કે, ગૌમાંસ ખાવાની અફવાહ ઉપર અખલાફની હત્યા પછી કેન્દ્રીય મંત્રી મહેશ શર્મા અને સંજીવ બાલિયાન ઉપરાંત ધારાસભ્ય સંગીત સોમ, ઉન્નાવના સાંસદ સાક્ષી મહારાજે નિવેદનો આપ્યા હતા જેનાથી અગ્નિમાં ઘી હોમવા જેવી સ્થિતિ સર્જાઇ હતી.

Comments