જવાહરલાલ નેહરુની ભાણેજે PM મોદી પર આરોપ મૂકીને પરત કર્યો સાહિત્ય એકેડમી અવોર્ડ

ભૂતપૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરુના બહેન વિજયાલક્ષ્મી પંડિતની વચલી દીકરી એટલે કે નેહરુના ભાણેજ નયનતારા સહેગલે પોતાનો સાહિત્ય એકેડમી અવોર્ડ પરત કરી દીધો છે.  તેમણે કહ્યું છે કે જે ભારતીયો અસંમતિના પક્ષમાં છે એ તમામ ભારતીયોના સમર્થનમાં તેમને આ પગલું લીધું છે.

88 વર્ષના જાણીતા લેખક નયનતારા સહેગલે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર પર દેશની  સાંસ્કૃતિક વિવિધતા વચ્ચે સંવાદિતા ન રાખવાનો આરોપ મૂક્યો છે. નોંધનીય છે કે નયનતારા સહેગલને 1988માં તેમની અંગ્રેજી નોવેલ 'રિચ લાઇક અસ' માટે સાહિત્ય એકેડમી અવોર્ડ આપવામાં આવ્યો હતો.

Comments